રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા, 315 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા હતા. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે અને હાલ 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જોકે, આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નહોતું. 3 મહાનગરો અને 7 જિલ્લા 10થી વધુ કેસ નોંધાયા છે. તો 13 જિલ્લા અને 2 મહાનગરોમાં કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2155 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 2143 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,71,224 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11057 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.