જુનાગઢ: પાદરિયા ગામે થયેલ આધેડની હત્યાના આરોપીઓને ગણતરીની કલોકોમાં ઝડપી પાડતી જુનાગઢ પોલીસ

પાદરિયાના વિનોદ ડાહ્યાભાઈ સોંદરવાને નાગા ઓડેદરા રાકેશ બારૈયા મુકેશ ચુનારા જૈમીન સહિતના આરોપીઓએ માર મારતા તેઓનું મૃત્યુ થયું હતું

Update: 2023-10-06 14:57 GMT

જુનાગઢ નજીકના પાદરીયા ગામે થયેલ મર્ડરના ગુનામાં ગણતરીની કલાકો 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પાદરિયા ગામે ગાય વિશે કોઈ અપશબ્દોને લયને બોલાચાલી થઈ હતી અને તેમાં પાદરિયાના વિનોદ ડાહ્યાભાઈ સોંદરવાને નાગા ઓડેદરા રાકેશ બારૈયા મુકેશ ચુનારા જૈમીન સહિતના આરોપીઓએ માર મારતા તેઓનું મૃત્યુ થયું હતું ત્યારે આ હત્યાના બનાવ બનાવ અંગે પંકજ સોલંકી પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હાલમાં મરણ જનાર આધેડ વિનોદ ડાહ્યાભાઈ સોંદરવાની હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો ડીટેક્ટ કર્યો છે અને વધુ તપાસ અર્થે આરોપીઓને તાલુકા પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી

Tags:    

Similar News