મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજર ફાળકો કહેવાય છે. તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણીવજુભાઈ વાળા સાથે માણી હતી.
મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરેએ પણ ચકડોળની સવારીનો આનંદ લીધો હતો.