જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન
પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે.
પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે.
પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.