ભરૂચ મર્ડર મિસ્ટ્રી માં NIA દ્વારા તપાસમાં સહકાર માટે પાકિસ્તાન સરકારને પત્ર લખાયો

Update: 2016-03-30 12:57 GMT

ભરૂચ ભાજપા ના બે નેતાઓ ની હત્યા કેસ ની તપાસ કરી રહેલ NIA દ્વારા પાકિસ્તાન સરકાર ને ગુના સબબ માહિતી મેળવવા સહકાર માટે પત્ર મોકલી તપાસને વધુ વેગવાન બનાવી છે.

ન્યાયિક સહાય હેતુ અમુક પ્રકારના પુરાવા માટે વિદેશી કોર્ટમાં કોર્ટને કરવામા આવતી ઔપચારિક વિનંતી ને લેટર ઓફ રોગટોરી કેહવાય છે જે NIA દ્વારા વિશેષ કોર્ટ ની મદદ થી કરવામાં આવી છે. આ ગુના ના બે આરોપીઓ દ્વારા USA અને સોઉથ આફ્રિકા થી નાણકીય વ્યવહાર કરવામાં આવ્યો છે.જેથી NIA દ્વારા આ બંને દેશ થી પણ ન્યાયિક સહાય હેતુકોર્ટ મારફતે પ્રયાસ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News