વિશ્વકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પ્રતિક્રિયા

Update: 2023-11-19 17:32 GMT

વિશ્વ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, "પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ જુસ્સા સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારવા અમદાવાદમાં મેચ જોવા પહોંચ્યા હતા.

પીએમ મોદીએ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લઈને પણ એક પોસ્ટ કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, "વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત બદલ અભિનંદન! સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેનું પ્રદર્શન પ્રશંસનીય હતું, જે શાનદાર વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને આજે તેના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન.

Tags:    

Similar News