RSSના સુપ્રીમો મોહન ભગવતનું મોટું નિવેદન, "15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે"

સંતો અને જ્યોતિષીનું માનવું છે કે 20થી 25 વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની જશે. જોકે આપણે બધા એક થઈને આ કામને ગતિ આપીશું તો

Update: 2022-04-14 09:41 GMT

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે 15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. સંતો અને જ્યોતિષીનું માનવું છે કે 20થી 25 વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની જશે. જોકે આપણે બધા એક થઈને આ કામને ગતિ આપીશું તો 10-15 વર્ષમાં જ અખંડ ભારત બની જશે. ભારત સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. તેના રસ્તામાં જે કોઈ આવશે તો તેનો નાશ થશે. અમે અહિંસાની જ વાત કહીશું,

પરંતુ આ વાત હાથમાં ડંડા લઈને કહેવામાં આવશે.RSS ચીફે વધુમાં કહ્યું હતું કે જો કેટલાક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે તો તેમનો પણ એમાં સહયોગ છે. જો તેઓ વિરોધ ન કરત તો હિન્દુ જાગત જ નહિ, તેઓ સૂતેલા જ રહેત. તેમણે વધુમાં કહ્યું હતું કે જો ભારત ઊઠશે તો ધર્મના માધ્યમથી જ ઊઠશે. ધર્મનું પ્રયોજન જ ભારતનું પ્રયોજન છે. ધર્મની ઉન્નતિ એ જ ભારતની ઉન્નતિ હશે.ભાગવતે હરિદ્વારામાં કહ્યું હતું કે ભારત સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. તેના રસ્તામાં જે કોઈ પણ આવશે તો તેનો નાશ થશે. અમે અહિંસાની જ વાત કરીશું, પરંતુ આ વાત હાથમાં ડંડા લઈને કહેવામાં આવશે. અમારા મનમાં કોઈ દ્વૈષ, શત્રુતાનો ભાવ નથી. જોકે વિશ્વશક્તિને જ માને છે, તો અમે શું કરીએ.

Tags:    

Similar News