રામલલાની 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, પૂર્ણ થશે PM મોદીનો ત્રણ દાયકા જૂનો સંકલ્પ,જાણો સમગ્ર કાર્યક્રમ

Update: 2024-01-22 04:41 GMT

આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશ-વિદેશના અનેક અતિથીઓ પણ ગઇકાલથી જ અયોધ્યા પહોંચી ગયા છે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે.

PM મોદી બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે

પોતાના અનામત કાર્યક્રમથી અલગ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી 12:55 સુધી એટલે કે લગભગ 50 મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે. આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શેર કરેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરની સામે કેન્દ્રીય શિખર અને અન્ય બે શિખરો સાથે ખુલ્લા મંચ પર ખુરશીઓ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેર સભા માટે 6 હજાર જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવશે.

Tags:    

Similar News