જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલ તથા તેના સાગરિતો વિરૂધ્ધ ગુજસીટોકનો કોરડો વિંઝવામાં આવ્યો હોવા છતાં ગુનાખોરી અટકવાનું નામ લઇ રહી નથી. ફરાર જયેશ પટેલના વિરોધી એવા જયસુખ ઉર્ફે ટીના ઉપર ગોળીબાર કરી અજાણ્યા યુવાનો ફરાર થઇ ગયાં છે.
જામનગરમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ભૂમાફિયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડિયા ઉર્ફે ટીના ઉપર ફાયરિંગ કરીને અજાણ્યા યુવાનો નાસી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં રહેતા અને ભૂમાફિયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉર્ફે ટીનો લાલપુર બાયપાસ નજીક થી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સો એ તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં જયસુખ પેઢાડીયા ને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં એસપી દીપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં. ભુમાફિયા જયેશ પટેલને ઝડપી પાડવા માટે જામનગર સહિત રાજયભરની પોલીસ દોડધામ કરી રહી છે પણ તે વિદેશમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.. હાલ તો પોલીસે ચારેતરફ નાકાબંધી કરી ગોળીબાર કરી નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી