કેવડીયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

Update: 2020-10-31 03:18 GMT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઇકાલે પીએમ મોદીએ રાજ્યને કેટલીક ભેટ આપી છે. પીએમ મોદીએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી અર્પી, ત્યારબાદ તેઓએ જળ અર્પણ કરી નમન કર્યું. કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી. પીએમ મોદીએ જવાનોને કેવિડયામાં રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્ર સુરક્ષા માટે શપથ લેવડાવ્યાં.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે એકતા પરેડમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ઉપસ્થિત રહ્યાં. જેમા બેન્ડબાજા સહિતનું આયોજન કરાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

Tags:    

Similar News