મહીસાગર : લુણાવાડા મામલતદારના સરકારી વાહનને નડ્યો ગંભીર અકસ્માત, મામલતદાર સહિત ડ્રાઇવરનું મોત

Update: 2021-01-02 09:54 GMT

મહીસાગર જીલ્લાના ખલાસપુર ગામ નજીક લુણાવાડા મામલતદારના સરકારી વાહન અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે મામલતદાર સહિત ડ્રાઈવરનું મોત નીપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત રાત્રિ દરમ્યાન લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી વાહન નં. GJ 17 G 0805માં પેટ્રોલિંગમાં હતા, ત્યારે લુણાવાડાના ખલાસપુર ગામ નજીક સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ નં. RJ 09 PA 5463 સાથે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતના કારણે મામલતદારના વાહનના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

Full View

અકસ્માતમાં વાહનની જમણી બાજુનો ભાગ સંપૂર્ણપણે ચિરાઈ ગયો હતો, ત્યારે મામલતદારના વાહનના ડ્રાઈવર વિજયરાજ પગીનું ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મામલતદાર રાકેશ ડામોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા સમયે તેઓનું પણ મોત નીપજ્યું હતું, ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News