નર્મદા : ભાજપના સાંસદ મનસુખ વસાવા ભરૂચ અને નર્મદા જિલ્લાનું દુઃખ છે,જુઓ કોણે કર્યા પ્રહાર

Update: 2021-02-11 06:34 GMT

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભાજપ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે વાક યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ભરૂચ અને નર્મદા જિલ્લાનું દુ:ખ ગણાવી પ્રહાર કર્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાજ  ભરૂચ નર્મદા જિલ્લા BTP અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપના સાંસદ મનશુખ વસવા અને BTP ના છોટુવસાવા સામસામે આક્ષેપો પ્રતિ  આક્ષેપ કરી રહ્યા છે હાલ BTPએ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે ભાજપના સાંસદ મનશુખ વસાવાએ ઓવૈસી અને છોટુ વસાવાને ગાડાં છે કહી BTP પર પ્રહાર કર્યા હતા ત્યારે BTP ના છોટુ વસાવાએ તો મનશુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યા હતા. છોટુ વસાવા એ કહ્યું કે મનશુખભાઈજ એક દુઃખ છે મનશુખ એ સુખ નથી નર્મદા અને ભરૂચ નું એ દુઃખ છે એનું નામ જ મનસુખ છે.  સાથે છોટુ વસાવા એ ભાજપ પર પ્રહાર કરતા જણવ્યું હતું કે ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે બેરોજગારો ની ભરતી નથી થતી પણ રાજકીય બેરોજગારો ની ભરતી ચાલુ કરી છે જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી.

Tags:    

Similar News