પંચમહાલ : શહેરામાં સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ભર્યું આંત્યિક પગલું

Update: 2020-02-27 11:32 GMT

ભરૂચ જિલ્લાના કાવીમાં પ્રેમી અને પ્રેમિકાએ વિષપાન કર્યાની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં પંચમહાલના પાટીયા ગામની સીમમાંથી પ્રેમીપંખીડાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં છે.

પંચમહાલ જિલ્લાના શહેરા નજીક આવેલાં પાટિયા ગામની સીમમાં ગયેલા લોકોએ આંબાના વૃક્ષ પર યુવક અને યુવતીના ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોયા હતાં. ઘટનાની વાત વાયુવેગે ફેલાતા સ્થળ પર ટોળા એકત્ર થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી આવી બંને મૃતદેહને વૃક્ષ પરથી નીચે ઉતાર્યા હતાં. યુવક અને યુવતીએ એક જ દોરડામાંથી બે ફંદા બનાવી જીવનલીલા સંકેલી લીધી હતી. પ્રેમમાં નિષ્ફળતાની બીકે તેમણે આંત્યિક પગલું ભર્યું હોવાની શકયતાઓ જોવામાં આવી રહી છે. હાલ તો પોલીસે મૃતક યુવક અને યુવતીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

Similar News