રાજકોટઃ ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ર વર્ષ પૂર્ણ થતા યોજાઇ પદયાત્રા

Update: 2019-01-20 09:37 GMT

૬ હજારથી વધુ ભાવિકો પદયાત્રામાં જોડાયા

ખોડલધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને આવતીકાલે બે વર્ષ પુર્ણ થઇ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના બે વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી ના ભાગરૂપે ખોડલધામ મહિલા અને વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ના માયાણીનગર સ્થિત સરદાર ભવન ખાતે સવારે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજ ના લોકો આવી પહોંચ્યા હતા.

ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલ દ્વારા માતાજીના રથ ની આરતી ઉતારી બાદમાં પદયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવું હતું.. આજે રાજકોટ શરૂ થયેલ કાગવડ ખોડલધામ સુધીની ૬૦ કિલોમીટર ની પદયાત્રામા ૬૦૦૦ જેટલા લોકો જોડાયા હતા અને સાથે જ 500 થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હોવાથી કાગવડ ખાતે ઓલ ઇન્ડિયા ના કન્વીનરો અને હોદેદારો નું સ્નેહ મિલન અને સ્ટેજ કાર્યક્રમ છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

Similar News