સોમનાથ : પ્રભાસના ત્રિવેણી સંગમ ખાતે પુજા અને સ્નાન માટે ભાવિકો ઉમટયાં

Update: 2020-11-17 10:23 GMT

હિંદુ સમાજના મહાપર્વ દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમનાથ ખાતે આવેલાં ત્રિવેણી સંગમ ખાતે પુજા અને સ્નાન માટે ભાવિક ભકતો ઉમટી પડયાં હતાં.

સોમનાથમાં આવેલાં પ્રભાસ તીર્થ ના ત્રિવેણી સંગમ ખાતે ભાઈબીજ નિમિત્તે સ્નાન કરી ભાવિકો ધન્ય બન્યાં હતાં. ભાઈ બીજના પાવન અવસરે ત્રિવેણી સંગમ માં સ્નાન પૂજા નું અનેરું મહત્વ રહેલું છે. સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ ખાતે સ્નાન પૂજા માટે ભાવિકોની ભીડ જામી હતી. રાજયભરમાંથી શ્રધ્ધાળુઓએ સોમનાથ ખાતે આવી ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

Tags:    

Similar News