BCCI દ્વારા મહત્વનો નિર્ણય, ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે

Update: 2023-05-17 16:15 GMT

પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચને લઈને બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે! બીસીસીઆઈ દ્વારા દેશ બહાર તમામ ફોર્મેટ અને શ્રેણીની મેચમાં ચોકડી મારી દેવામાં આવી છે. મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચને લઈને અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદ થતો રહે છે. ત્યારે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ભારતની બહાર કોઈ પણ મેચ ન રમવા મામલે કડક નિર્ણય કર્યો છે.

બોર્ડના કહેવા પ્રમાણે વિદેશની ધરતી હશે તો પણ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સાથે કોઈપણ ટેસ્ટ મેચ નહીં રમે. મહત્વનું છે કે આ વર્ષે પાકિસ્તાન દ્વારા એશિયા કપ યોજાશે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ટેસ્ટ રમવા અંગેની કોઈ યોજના નથી જેમાં બંને દેશો ભારતની બહાર કોઈ પણ દેશમાં ટેસ્ટ શ્રેણી રમવા નહીં જાય! તે મામલે સપષ્ટ કરી દેવામાં આવ્યું છે.

Tags:    

Similar News