IND vs ENG : કેવી છે હૈદરાબાદની પીચ, બેટ્સમેન કરશે રાજ કે બોલરો મચાવશે તબાહી..!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

Update: 2024-01-23 09:55 GMT

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો તેની ધરતી પર રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. તાજેતરના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બીજી તરફ ઇંગ્લિશ ટીમ માટે 2012થી ભારતીય ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવી માત્ર એક સપનું જ રહ્યું છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ (IND vs ENG) હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદના આ મેદાન પર બેટ્સમેનોનું વર્ચસ્વ છે. આ મેદાન પર રન બનાવવા ખૂબ જ સરળ છે અને બોલ બેટ પર ખૂબ સારી રીતે આવે છે. પિચમાં સારા ઉછાળાને કારણે ઝડપી બોલરોને પણ શરૂઆતની ઓવરોમાં મદદ મળે છે.

Tags:    

Similar News