સુરત: હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, કતારગામ પોલીસે તપાસ શરૂ કરી

Update: 2020-05-29 08:07 GMT

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વીસ્તારમાં તરણકુંડ રોડ ઉપર સવારના સમયે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ જોતાં જ લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત કતારગામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો મૃત્યુ પામનાર યુવક કોણ છે, તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Similar News