ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

Update: 2020-07-05 16:40 GMT

ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં સાત લોકોના મોત થયા છે, અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગાજિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અધિકારીએ મીડિયાને આ ઘટના વિશે જાણકારી આપી હતી. જ્યારે, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને ઘટનાસ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આપ્યા છે.

મીડિયા દ્વારા જણાવ મળ્યું હતું કે મૃતકોમાં છ મહિલાઓ અને એક બાળક સામેલ છે. જ્યારે ફેક્ટરીમાં આગ લાગી ત્યારે આ લોકો અંદર કામ કરી રહ્યા હતા પરંતુ આગ લાગવાના કારણે બહાર ન નિકળી શક્યા અને ઘટનાસ્થળ પર જ મોત થયા છે.

Tags:    

Similar News