વડોદરા : કેવડીયા સુધી બ્રોડગેજ લાઇનમાં જમીન ગુમાવનારાઓને વળતર ચુક્વવાની કામગીરી પૂરજોશમાં

Update: 2020-06-09 11:18 GMT

નર્મદા જિલ્લાનું કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા - ડભોઇ - કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 613628 ચો.મી.જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવે ને સોંપી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ડભોઇ તાલુકાના કુલ 8 ગામોની જમીન મેળવવી જરૂરી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે,જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણી નું બાકી કામ પંદર દિવસમા પૂરું કરી દેવાની સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અગત્યના રેલ પરિવહન પ્રોજેક્ટ માટે જમીન આપનારા જમીન ધારકોને કુલ રૂ.31.91 કરોડની રકમ ચૂકવવામાં આવનાર છે.આ પૈકી રૂ.24.98 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.

જમીન આપનારા લોકોને વાજબી વળતર સમયસર અને પારદર્શક રીતે મળે એની ખાત્રી માટે રાજ્ય સરકાર પાસે થી જમીન સંપાદન પુનઃ વસવાટ અને પુનર વસનમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ ની તમામ સંબંધિત કલમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવાની સાથે તમામ 14 દરખાસ્તો અને તેના હેઠળ જાહેર કરવાના એવોર્ડ સમયસર જાહેર કરી પ્રોજકટનો અમલ સરળ બનાવવામાં મુખ્ય મંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ખૂબ પરિશ્રમ ઉઠાવી યોગદાન આપ્યું છે

Tags:    

Similar News