આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનમિત્રોને કેવી રીતે કામ કરવું તે અંગે ખાસ તાલીમ અપાશે.
વડોદરા શહેરમાં કોંગ્રેસ ની બે દિવસીય તાલીમ શિબિરની યોજાઈ હતી. જેમાં શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને હોદ્દેદારો રહ્યા શિબિર માં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ શિબિરમાં કોંગ્રેસના જનમિત્રો પણ હાજર રહયા હતા.
આગામી સમયમાં આવી રહેલી 2019ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાલમાં લોક સંપર્ક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ વડોદરા શહેર કોંગ્રે દ્વારા બે દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમાં જનમિત્રોને બુથ લેવલની કામગીરી માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. કોંગ્રેસના જનમિત્રોએ કેવી રીતે કામ કરવું તે અંગેની સમજ આપવા માટે યોજાઈ છે આ શિબિર. કોંગ્રેસના મધ્ય ગુજરાત પ્રભારી બીશ્વ રંજન મોહન્તિ તેમજ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રહ્યા હાજર.