વડોદરા : રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

Update: 2020-03-21 11:37 GMT

રાજયમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ બહાર આવ્યાં બાદ સરકાર દોડતી થઇ ગઇ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે શનિવારના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લઇ સુવિધાઓની ચકાસણી કરી હતી.

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે શનિવારે વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે વડોદરા સહિત રાજ્યના કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં કોઈપણ રીતે આવ્યા હોય ઍવા લોકો સ્વેચ્છા એ અને સામે ચાલીને પ્રાથમિક તપાસ કરાવી લે તેવી અપીલ કરી હતી. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રાજ્યના કોરોના પોઝિટિવ લોકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે..વડોદરામાં ૩ પોઝિટિવ કેસો નોંધાયા એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આ લોકોના નિકટ સંપર્કમાં આવ્યા હોય એવા લોકોની જાણકારી મેળવી અને તેમને શોધીને આરોગ્ય તપાસ તેમજ તેમને અન્ય લોકોથી સંપર્ક મુક્ત રાખવાની કાર્યવાહી તંત્ર કરી રહ્યું છે. વધુમાં તેમણે રવિવારે જનતા કરફયુ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા માટે અનુરોધ કર્યો છે.

Similar News