અંકલેશ્વર એન્જીનિયરિંગ કંપની માંથી રૂપિયા 35000ની ચોરી

Update: 2018-02-13 10:55 GMT

અંકલેશ્વર જીઆઈડીસીની એસઆરસી એન્જીનિયરિંગની ઓફિસનાં દરવાજાનો નકુચો તોડીને તસ્કરો રૂપિયા 35000 રોકડાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એસઆરસી એન્જીનિયરિંગમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, અને કંપનીની ઓફિસનાં દરવાજાનો નકુચો તોડીને તસ્કરો ઓફિસમાં પ્રવેશ્યા હતા, અને ઓફિસમાં રાખેલી લોખંડની તિજોરી તોડીને તસ્કરો રૂપિયા 35000 રોકડાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે કંપનીનાં માલિક દાદાસાહેબ બાબુરાવ જાધવને જાણ થતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

 

Similar News