અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કર અડફેટે બાઈક ચાલકનું મોત

Update: 2016-04-17 11:55 GMT

અંકલેશ્વર જીઆઈડીસીની યોગી એસ્ટેટ નજીક ટેન્કર ચાલકે ટેન્કરને રમરમાટ દોડાવીને બાઈક ચાલક છોટુ ગીરાસીને અડફેટમાં લઈ અકસ્માત સર્જયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજયુ હતુ. ટેન્કર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News