અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં અંદાજીત એક ટ્રકથી વધુ ઔદ્યોગિક સોલીડ વેસ્ટ કોઈક તત્વો દ્વારા ઠાલવવામાં આવ્યો છે. જે અંગે ગામનાં ખેડૂત તુલસીભાઈ પટેલને જાણ થતાં તેઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી છે.
તુલસીભાઈએ કનેક્ટ ગુજરાત સાથેની વાચીતમાં જણાવ્યુ હતુ કે, હોળી પહેલાં આ કચરો ઠાલવવામાં આવ્યો હતો જે અંગે GPCB ને જાણકરી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને ગઈ કાલે રાત્રે વધૂ કચરો ઠાલવવામાં આવ્યો હોય તેમ તેઓ જણાવે છે.