અંકલેશ્વર: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા મહેશભાઇ જાકાસણીયાના સ્મર્ણાર્થે યોજાશે રક્તદાન કેમ્પ

Update: 2019-10-11 11:47 GMT

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વર દ્વારા ટ્રસ્ટી/પ્રમુખ અ.નિ.મહેશભાઇ રૂગ્નાથ જાકાસણીયાના સ્મર્ણાર્થે બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન તા.૧૩.૧૦.૨૦૧૯ને રવિવારે કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ ઉમા ચોક, જી.આઇ.ડી.સી, અંકલેશ્વર ખાતે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાનાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન થકી જીવતદાન આપવા સમાજના પ્રવિણભાઇ કાસુંન્દ્રા તેમજ કિરીટભાઇ ભુવાનો સંપર્ક કરવા જણાવાયું છે. સાથે સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી બ્લ્ડ ડોનેટ કરવા અપીલ પણ કરવામાં આવી છે.

Tags:    

Similar News