અંકલેશ્વરમાં બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત 

Update: 2017-01-11 13:21 GMT

 

અંકલેશ્વરમાં ચોવીસ કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના બની હતી,જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા,જયારે એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે રહેતા ઇબ્રાહિમ મુસાભાઇ ભુરીયા ઉ.વ.50 નાઓ પોતાના સાથી યાકુબ કાજી સાથે બાઈક પર સારંગપુર પાસેથી પસાર થઇ રહ્યા હતા,તે દરમિયાન એક ટ્રક ચાલકે ઇબ્રાહિમભાઈની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર ઇબ્રાહિમભાઈનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળ પરજ કરુણ મોત નીપજ્યુ હતુ.જયારે તેમના સાથી યાકુબ કાજી ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

જયારે બીજો એક અકસ્માતનો બનાવ કાપોદ્રા ગામ નજીક બન્યો હતો.કાપોદ્રાની મનપસંદ સોસાયટીમાં રહેતા ચંદનસિંગ રાજપુરોહિત તેઓની પત્ની અને બાળકો રાજસ્થાનથી આવી રહ્યા હતા,તેમને વાલિયા ચોકડી પર લેવા માટે બાઈક લઈને જતા હતા.તે દરમિયાન દિનેશ મિલ પાસે માર્ગના કામ અર્થે ખોદવામાં આવેલ ખાડામાં તેઓની બાઈક પટકાય હતી.

જેમાં ચંદનસીંગ રાજપુરોહિતને ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોતને ભેટ્યા હતા.

બનાવ અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

 

Tags:    

Similar News