કાંકરિયા કાર્નિવલ સદ્ભાવના ,સાંસ્કૃતિક એકતાનાં સંસ્કારનું સિંચન , સીએમ રૂપાણી

Update: 2017-12-26 08:40 GMT

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ - 2017નો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.

સીએમ રૂપાણીએ સોશિયલ મિડીયા પર પોસ્ટ દ્વારા જણાવ્યુ હતુ કે કાંકરિયા વર્લ્ડ હેરિટેજ સિટીનો ભાગ બની ચૂક્યું છે અને સમગ્ર વિશ્વ તેને ગૌરવની દ્દષ્ટિએ જુએ છે. કાંકરિયા કાર્નિવલે અમદાવાદીઓમાં સદ્દભાવના, સાંસ્કૃતિક એકતાનાં સંસ્કાર સિંચન સાથે ઉત્સવપ્રિયતા સાથે અમદાવાદીઓમાં થનગનાટ ભરવાનું કાર્ય કર્યુ છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="38270,38271,38272,38273,38274,38275,38276,38277,38278,38279,38280,38281"]

વધુમાં સીએમ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ અને ક્રિસમસ પ્રસંગે ખુલ્લું મુકાયેલ ‘નોક્ટર્નલ ઝૂ’ શહેરનું નવું નજરાણુ બની રહેશે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

 

Tags:    

Similar News