કોરોના વાઈસરનો કહેર : દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં થયો વધારો

Update: 2020-04-02 04:08 GMT

ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે, દેશ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધી 2000ને પાર પહોચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યુ હતું કે 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા અને ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત વાયરસને કારણે થયા છે જ્યારે 132 લોકો રિકવર થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે 325, કેરળમાં 265, તમિલનાડુમાં 234, દિલ્હીમાં 123, યૂપીમાં 116, રાજસ્થાનમાં 108, કર્ણાટકમાં 105 કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખને પાર પહોંચી ગઈ છે.

Tags:    

Similar News