ગુજરાતમાં પીએમ મોદી ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરશે  

Update: 2017-11-21 09:00 GMT

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી પ્રચારની કમાન શનિવાર થી સંભાળવામાં આવશે અને ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સૌરાષ્ટ્રથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીસભાઓને સંબોધન કરી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી કચ્છમાં પણ ચૂંટણીસભાઓ ગજવશે તેમ જાણવા મળ્યુ છે.

પીએમ મોદી રાજયનાં જિલ્લાઓમાં રેલી તેમજ સભા ગજવશે અને મતદારોને ભાજપ તરફે આકર્ષવાનાં પ્રયાસો કરશે.

 

 

 

Tags:    

Similar News