નવરાત્રી પર્વમાં લોકો ઉપવાસ કરતા હોય છે,અને બને ત્યાં સુધી બહારનું ભોજન આરોગવાનું પણ ટાળતા હોય છે,ત્યારે યાત્રીઓને આકર્ષવા માટે ગો એરે નવરાત્રી થાળી પીરસવાનું નક્કી કર્યુ છે.
ગો એરની ટીકીટ બુક કરાવતી વેળાએ જ યાત્રીએ નવરાત્રી થાળી માટેનો વિકલ્પ પસંદ કરવો પડશે.અને નવરાત્રી દરમિયાન આ એલાઇન્સ દ્વારા ઢોકળા,સાબુદાણાની ખીચડી,સાબુદાણા ટિક્કી ,બટેટાનું શાક અને ફળ આ ઉપરાંત મિઠાઈ પણ પીરસવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.