જામનગર જીલ્લાના જામ જોધપુર તાલુકાના લાલપુર ગામે એક મહિલાએ પાક નિષ્ફળ જવાની ભીતીએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ લાલપુર ગામે હર્ષા નામની મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, મહિલાની લાશની બાજુ માંથી એક સુ સાઇટ નોટ મળી આવી હતી. જેમાં પાક નિષ્ફળ જવા થી આપઘાત કર્યા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
હાલ પોલીસે હર્ષાબેનની સુ સાઇટ નોટ કબજે કરી ખરેખર પાક નિષ્ફળ જવાથી આપઘાત છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ હાથ ધરી છે.