એર ઇન્ડિયા સુરત-મુંબઇ અને સુરત-દિલ્હી વચ્ચે એરબસ સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. જે નજીકના ભવિષ્યમાં જ શરૂ કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આગામી ઓગષ્ટ મહિનાથી ડેઇલી બેઝ પર સવાર અને સાંજ આ ફ્લાઇટ શરૂ થાય તેવા એંધાણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરતથી મુંબઇ અને દિલ્હી જવા સવાર-સાંજ ફ્લાઇટ ઉપલબ્ધ થશે. તે માટે એર ઇન્ડિયા દ્વારા સુરત એરપોર્ટ ખાતે ગ્રાઉન્ડ હેન્ડલિંગ મેનેજરની નિમણૂક પણ કરવામાં આવી છે.
સુરતથી એરબસ સેવા પુરી પાડવા માટે માટે એર ઇન્ડિયા અને કતાર એરવેઝને દરખાસ્ત મોકલવામાં આવી છે તેવુ પણ સુત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે.