ડેબિટ કાર્ડથી રૂપિયા 2000 સુધીની ખરીદી પર કોઇ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે
ડેબિટ કાર્ડથી 2000 રૃપિયાની ખરીદી કરશો તો તમને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) સ્વરૃપે કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી એમડીઆર ચાર્જ પોતે જ સહન કરવાનો નિર્ણય લીધો છે.
ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઇ અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતી ચૂકવણી પર આ લાભ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયનો અમલ આગામી વર્ષે જાન્યુઆરી થી થશે.