પહેલવાન ખલીની બાપોપિકની ઓફર અક્ષય અને સુશાંત સિંહે ઠુકરાવી 

Update: 2017-11-28 05:25 GMT

અક્ષય કુમારે ખલીની બાયોપિકની ઓફર ઠુકરાવી દીધી છે. સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે પહેલવાન ખલીના પાત્રને કયો અભિનેતા ન્યાય આપી શકશે? કારણ કે ખલી જેવો મજબુત બાંધો બનાવવા કોઈ પણ કલાકારે આકરી મહેનત કરવી પડશે.

આ પાત્રની ઓફર અક્ષય કુમારને આપવામાં આવી હતી. પણ ખલી જેવા તાકાતવર બનવા માટે આકરી મહેનત કરવી પડશે. અને બે વર્ષની મહેનત બાદ ફિલ્મ રિલિઝ થવા માટે તૈયાર થઈ શકે. પણ આટલા સમયમાં અક્ષય અન્ય સાત-આઠ ફિલ્મ કરીને જંગી રકમ કમાઈ શકે એમ છે. આથી એણે આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે.

અક્ષય બાદ સુશાંત સિંહ રાજપૂતને આ ફિલ્મની ઓફર મળી હતી, પણ સુશાંતના મત પ્રમાણે તે આ બાયોપિક કરવા માટે સક્ષમ નથી. ખેર, ખલીના પાત્ર માટે ક્યાં અભિનેતાની પંસદગી થાય છે. એ જોવું રસપ્રદ રહ્યું. અથવા બની શકે કે નિર્માતા કોઈ નવા અભિનેતાની જ નિમણુક કરે.

Similar News