અક્ષય કુમારે ખલીની બાયોપિકની ઓફર ઠુકરાવી દીધી છે. સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે પહેલવાન ખલીના પાત્રને કયો અભિનેતા ન્યાય આપી શકશે? કારણ કે ખલી જેવો મજબુત બાંધો બનાવવા કોઈ પણ કલાકારે આકરી મહેનત કરવી પડશે.
અક્ષય બાદ સુશાંત સિંહ રાજપૂતને આ ફિલ્મની ઓફર મળી હતી, પણ સુશાંતના મત પ્રમાણે તે આ બાયોપિક કરવા માટે સક્ષમ નથી. ખેર, ખલીના પાત્ર માટે ક્યાં અભિનેતાની પંસદગી થાય છે. એ જોવું રસપ્રદ રહ્યું. અથવા બની શકે કે નિર્માતા કોઈ નવા અભિનેતાની જ નિમણુક કરે.