ભરૂચ નજીક આવેલા વાગુસણા ગામની અંદર આવેલી નવી નગરી ખાતે રહેતા દિનેશ ભાઈ રાય સંગ પાટવાડીયાના ઘરમાં આજ રોજ સવારના સમયે કોઈ કારણો સર આગ લાગી જવા પામી હતી, ઘરના સભ્ય ઘરમાં ના હોઈ આજુબાજુ ના લોકોએ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો અને ફાયર બ્રીગેડને ફોન કરી જાણ કરી હતી.
ફાયર બ્રીગેડ અને લોકોના પ્રયાશ થી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં કોઈ ન હતું જેથી કોઈ જાનહાની થઈ ન હતી, પણ ઘરની અંદરની તમામ ઘર વખરી બળીને ખાખ થઇ ગઈ હતી.