ભરૂચ મગરના હુમલામાં મૃતક યુવકના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય કલેકટરના હસ્તે અર્પણ કરાઈ
ભરૂચના નાંદ ગામ ખાતે રહેતા અરવિદ વસાવા નર્મદા સ્નાન અર્થે ગયા હતા, ત્યારે મગરના હુમલામાં તેઓનું કરુણ મોત નિપજ્યું હતુ. મૃતકના પરિવારને જિલ્લા કલેકટર દ્વારા રૂપિયા 4 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ મગરના હુમલામાં મોતને ભેટનાર અરવિંદ વસાવાના પત્ની કૈલાશબેન,બાળકો સહિતના પરિવારજનો ની ઉપસ્થિતમાં રૂપિયા 4 લાખની સહાયનો ચેક અર્પણ કરીને પરિવારજનોને સાંત્વના આપી હતી.