ભરૂચ નગર સેવાસદન,નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ,ચેનલ નર્મદા તેમજ માં મણિબા સાર્વજનિક ચેરીટી ટ્રસ્ટના અથાગ પ્રયત્નો થકી ત્રણ ઉદ્યાન સ્ટેચ્યુ પાર્ક,ચિલ્ડ્રન પાર્ક તેમજ સિનીયર સીટીઝન પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે,આ પાર્ક ની લોકાર્પણ વિધિ તેમજ સ્ટેચ્યુ પાર્ક માં સ્થાપિત 9 રત્નો સમાન મહાન વિભૂતિઓ ની પ્રતિમા નું અનાવરણ તારીખ 7 મી મેં ના રોજ સાંજે 6:30 કલાકે કરવામાં આવશે.
આ કાર્યક્રમ ની માહિતી આપવા માટે સ્ટેચ્યુ પાર્ક ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકાર્પણ અને પ્રતિમાઓ ની અનાવરણ વિધિ સંદર્ભે પત્રકારોને સંસ્થાના અગ્રણી ઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.