ભાજપે " કુંવરજી હારે છે " લખાણ મુદ્દે ચૂંટણી પંચ અને પોલીસ ફરિયાદ નોંધાવી

Update: 2018-12-17 04:18 GMT

આગામી 20 તારીખના રોજ જસદણ પેટા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે બંને એ પોતાના દિગજ્જ નેતાઓ મેદાને ઉતાર્યા છે. આવતીકાલના રોજ ભાજપ દ્વારા મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુ પણ પ્રચાર કરવા આવશે. આમ, બંને પક્ષ દ્વારા એડીચોટી નું જોર લગાડવામાં આવ્યું છે.

રાતો રાત કુંવરજી હારે છે ના લાગ્યા પોસ્ટર

શનિવારની રાત્રે જસદણ અને વીંછીયામાં કુંવરજી હારે છે તેવા લખાણ લખવામાં આવ્યા હતા. જે બાબતે ભાજપ દ્વારા ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે લખાણ કરનાર અજાણ્યા શખ્સો ની જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Similar News