ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

Update: 2020-09-19 16:44 GMT

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ઉંડવી ગામ ખાતે ૧, સુરનિવાસ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, બગદાણા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, નવાગઢ ગામ ખાતે ૧, જસપરા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, ખારી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧ અલંગ ગામ ખાતે ૧, બોરડા ગામ ખાતે ૧, ઘોળા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૧૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૧૯ એમ કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમજ આજરોજ ભાવનગર શહેર તથા સિહોર ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૭૩૬ કેસ પૈકી હાલ ૩૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૩,૨૭૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Tags:    

Similar News