ભારત સહિત વિશ્વભરમાં ક્રિસમસ પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા નાતાલનાં પર્વ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી હતી કે, નાતાલનો તહેવાર સમાજના લોકોમાં ખુશી અને સૌહાર્દ ફેલાવે.