વાગરા કોંગ્રેસ દ્વારા નવસર્જન યુવા રોજગાર નોંધણી કાર્યક્રમ યોજાયો

Update: 2017-09-16 10:35 GMT

વાગરા કોંગ્રેસે રાખેલ નવસર્જન યુવા રોજગાર નોંધણીમાં યુવાનોએ નામ નોંધાવીને રોજગારની આશા વ્યક્ત કરી હતી.

દહેજનું નામ વિશ્વ ફલક પર ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે વિખ્યાત થયુ છે. તેમ છતાં વાગરા તાલુકાના યુવકોને પણ કંપની સંચાલકો રોજગારી આપી શક્યા નથી.

વાગરામાં કોંગ્રેસે "રોજગાર મારો અધિકાર, સાકાર કરશે કોંગ્રેસ સરકાર" ના સૂત્ર સાથે નવસર્જન યુવા રોજગાર અભિયાન હાથ ધર્યું છે. જે સંદર્ભે વાગરા શિલ્પી ભવન ખાતે તાલુકા કોંગ્રેસે બેરોજગાર યુવનોની નોંધણી કાર્યક્રમ રાખ્યો હતો.

જેમાં તાલુકાભરના ગામડાઓ માંથી યુવાનો રજીસ્ટ્રેશન કરાવવા ઉમટી પડ્યા હતા. જેમાં યુવકોએ રોજગારીનાં મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ મેળવવા નોંધણી કરાવી સંતોષ માન્યો હતો.

આ તબક્કે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈસાકભાઈ રાજ,બાંધકામ સમિતિ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ,મહમદઅલી પટેલ,અમરસંગ પરમાર, કમરૂઝમાં મુન્શી,સુરેશભાઈ પરમાર, લાલાભાઈ,નરેશભાઈ ગોહિલ,જાબીર મુન્શી,ઇમરાન ભટ્ટી,અલ્પેશ રાઠોડ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Tags:    

Similar News