ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વાલિયાના તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓને શાળા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાયો હતો.
ભરૂચ જિલ્લાની વિવિધ નવ પ્રાથમિક શાળાઓને ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે વાલિયા તાલુકાના ચોરામલા અને કદવાલી,ગાંધુ ગામની પ્રાથમિક શાળાઓને પણ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જેમાં ચોરામલા ગામની પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની આ શાળાને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવતા શાળાના આચાર્ય ઉર્મિલાબેન વસાવા અને શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.