/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03125340/ANK_BLOOD-CAMP-e1617434642995.jpg)
અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના પાનોલી ખાતે કાર્યરત જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના આજરોજ સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે સ્વૈરછીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી યોજાય હતી જેમાં 150 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું અને કંપનીના સ્થાપના દિવસ નિમિત્તે સેવાકાર્ય કર્યું હતું. આ પ્રસંગે કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.