-
અંકલેશ્વર કરવામાં આવ્યું આયોજન
-
કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
-
વોટ ચોર ગાદી છોડ અભિયાન
-
સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
-
કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો જોડાયા
અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે વોટ ચોર ગાદી છોડ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર જાની, પ્રવક્તા નાઝુ ફડવાલા, યુવા આગેવાન વસીમ ફડવાલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીનો આક્ષેપ કરાયો હતો.સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાય રહ્યા છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.
