New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/15174322/maxresdefault-88.jpg)
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા અને ભારતીય જનતા પાર્ટી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ કોરોના મહામારી વચ્ચે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ.હોસ્પિટલ નજીક પ્લોટ નંબર-3039 ખાતે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા અને ભારતીય જનતા પાર્ટી તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કોરોના વેકસીનેશન અંગેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 45થી વધુના વયના નાગરિકોને વિના મૂલ્યે કોરોનાની રસી મુકવામાં આવી હતી આ કેમ્પમાં નોટિફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જશુ ચૌધરી,અલ્પેશ પટેલ,મહામંત્રી અતુલ બાવરિયા અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.