અંકલેશ્વર : કાગદીવાડમાં પતિએ પાઇપ મારી પત્નીની કરી હત્યા અને પછી પોતે ખાઇ લીધો ફાંસો

New Update
અંકલેશ્વર : કાગદીવાડમાં પતિએ પાઇપ મારી પત્નીની કરી હત્યા અને પછી પોતે ખાઇ લીધો ફાંસો

અંકલેશ્વરના કાગદીવાડમાં સામાન્ય ઝગડામાં પતિએ ઉશ્કેરાયને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતાં ચાર સંતાનો ક્ષણભરમાં અનાથ બની ગયાં છે...



રાજયમાં છેલ્લા ઘણા સમયથી પરિવારમાં એકબીજાની હત્યા કરી પોતે આપઘાત કરી લેવાના કિસ્સા વધ્યાં છે. વડોદરાનો સોની પરિવાર હોય કે પછી આણંદનો પરિવાર.. અંકલેશ્વરમાં પણ હવે આવી જ કરૂણ ઘટના બની છે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતાં હબીબ ઉલ રહેમાન કાગઝી પોતાની પત્ની સાહીનબાનુ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપત્તિને ચાર સંતાનો છે. રવિવારના રોજ પતિ અને પત્ની વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં હબીબ ઉલ રહેમાને જમવાનું બનાવી રહેલી તેની પત્ની સાહીન પર હુમલો કરી દીધો હતો. હબીબે તેના માથામાં લોખંડનો પાઇપ મારી દેતાં તે ઢળી પડી હતી અને આખો ઓરડામાં લોહી પ્રસરી ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ હબીબ પણ મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ મૃતક સાહિનના પરિવારને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતાં તેમણે કાગદીવાડમાં પહોંચી તપાસ કરતાં તેમના માથે આભ તુટી પડયું હતું.


રવિવારની રજામાં સૌ કોઇ પોતાના ઘરે હતાં પણ કાગદીવાડમાં બંધ બારણે ખુની ખેલ ખેલાયો હતો. બનાવની જાણ થતાં શહેર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઇ ગુલામ મહંમદે પણ બંને વચ્ચે કોઇ ખટરાગ હોવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે ઝગડો કઇ બાબતે થયો તે તપાસનો વિષય બન્યો છે. પતિ અને પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલ ખૂની ખેલમાં ચાર બાળકોએ ક્ષણભરમાં માતા અને પિતાનું છત્ર ગુમાવી દીધું છે. હવે તેમના પરવરીશની જવાબદારી કોણ લેશે સહિતના અનેક સવાલો ઉભા થયાં છે...

Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Latest Stories