અંકલેશ્વર: નગરસેવા સદનની સામાન્ય સભા મળી, રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરાયું, જુઓ વિપક્ષે શું કર્યા આક્ષેપ

New Update
અંકલેશ્વર: નગરસેવા સદનની સામાન્ય સભા મળી, રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરાયું, જુઓ વિપક્ષે શું કર્યા આક્ષેપ

અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ મળેલ સામાન્ય સભામાં રૂપિયા 98 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

Watch Video : https://fb.watch/4yN0TG4srT/

ચૂંટણી બાદ આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેનો રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મંજૂર થયેલ બજેટ સર્વાંગી વિકાસવાળું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

તો આ તરફ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ બજેટને દિવસે સપના બતાવનારું ગણાવ્યું હતું અને નગરપાલિકાને આવક થસે ક્યાંથી એ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.