અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સિનિયર સિટીઝનોને રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનારમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. પી.જી. ચાવડા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હંમેશા પ્રજાની સાથે એ સંદેશ વયસ્ક નાગરિકોને આપવામાં આવ્યો હતો