અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.જી.ચાવડાએ કર્મચારીઓને પો.સ્ટે. વિસ્તારના નાસતા ફરતા આરોપીને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે ફેમિલી કોર્ટ અંકલેશ્વરે આરોપી વસીમ બશીરખાન પઠાણ રહે, મ.નં.૪૦, શક્તિનગર, ઝેનીથ સ્કુલની પાછળ અંકલેશ્વરને ભરણ પોષણના કેસમાં 900 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો ત્યારે પોલીસે ફરાર આરોપીની વોરન્ટના કામે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.